સદ્દવાંચનથી સદ્દવિકાસનું સૂત્ર લઇને પ્રત્યેક ભવ્યાત્માઓના આત્મવિકાસમાં નિમિત્ત બનવા પૂર્વકનું શ્રી સન્માર્ગ પરિવારનું આયોજન એટલે આત્મજાગૃતિ

અત્યાર સુધીમાં શ્રી સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત ૪૦૦થી અધિક પુસ્તકોમાં જૈનશાસનના ઘણા બધા વિષયોને આવરી લેવાનો ભગીરથ પ્રયાસ થયો છે અને અવિરતપણે આ પ્રયાસ હજી પણ વૃદ્ધિમાન છે.

સાધકની ભિન્ન ભિન્ન કક્ષા, રૂચિ અને પરિસ્થિતિને અનુરૂપ વિધ વિધ વિષયો પર વિધ વિધ ભાષાઓમાં પ્રકાશિત થયેલ આ પુસ્તકો સર્વાંગીણ વિકાસનાં સોપાન જેવાં છે.

તેમ છતાં દરેક વાચકોનું એ સામર્થ્ય ન હોય કે તમામ પુસ્તકો તેઓ ખરીદી શકે અથવા તો ખરીદીને સંગ્રહિત કરી શકે. એવાં વાચકોની આ મૂંઝવણના ઉકેલ સ્વરૂપે શ્રી સન્માર્ગ પરિવાર આયોજિત આત્મજાગૃતિ યોજના હેઠળ ભારતભરના જ નહીં પણ વિશ્વભરના વાચકોને તેમને જરૂરી એવાં સન્માર્ગ પ્રકાશનનાં પુસ્તકો વિના મૂલ્યે માત્ર વાચન માટે મોકલવામાં આવે છે અને વંચાઇ ગયા બાદ તે પરત મેળવી એના જ દ્વારા અન્ય વાચકોની જિજ્ઞાસાપૂર્તિ સાધવામાં આવે છે.

વિશ્વના ખૂણે ખૂણે વસતા વાચકોની આત્મચેતનાને જાગૃત કરવાના આ આત્મજાગૃતિના આયોજન દ્વારા સન્માર્ગ પ્રકાશનના પુસ્તક પ્રાપ્ત કરવા ઇચ્છતા ભાગ્યશાળીઓ નીચે જણાવેલ સંપર્કસૂત્ર પર પોતાનું નામ, સરનામું, ફોન નંબર, પુસ્તકનું નામ આદિ વિગતો મોકલી શકે છે. અમે વહેલી તકે તે પુસ્તક આપને ઘેર બેઠાં પહોંચાડવાનો પ્રયત્ન કરશું.

About Us

At Lezada, we put a strong emphasis on simplicity, quality and usefulness of fashion products over other factors. Our fashion items never get outdated. They are not short-lived as normal fashion clothes.

(+00) 123 567990

Wishlist

Cart

Added to wishlist.